લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ભારતના એસ.પી ગ્રુપના વડા પાલોનજી મિસ્ત્રીનુ નિધન થયુ

ભારતના ઉદ્યોગપતિ અને શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું મોડી રાત્રે નિધન થયું છે.જેઓએ 93 વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.મિસ્ત્રીના નાના પુત્ર શાપૂરજી એસ.પી ગ્રુપનું સંચાલન કરે છે.1929માં ગુજરાતના એક પારસી પરિવારમાં જન્મેલ શાપૂરજીએ નાની વયે જ પિતા સાથે એન્જિનિયરિંગ કારોબારમાં ઝંપલાવ્યું હતુ.જેમણે ભારતમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવીને ઈંગ્લેન્ડમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.ત્યારબાદ 1954માં પિતાના નિધન બાદ તેમણે સમગ્ર કારોબાર સંભાળ્યો હતો.પાલોનજીએ નાની ઉમંરે ઓછી આવડત સાથે મુંબઈની તાજ હોટલ બનાવી હતી.આ તેમની સૌથી મોટી સિદ્ધિ કહેવાય છે કારણકે તેમણે આ હોટલ અંદાજિત બજેટ કરતા ઓછી રકમમાં અને સમય કરતા પૂર્વે બનાવીને એન્જિનિયરિંગ સેક્ટરમાં પોતાનો ખિલ્લો નાંખ્યો હતો.પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.આમ શાપૂરજી પાલોનજી ગ્રૂપ મુખ્યત્વે 6 મુખ્ય સેગમેન્ટ જેવા કે એન્જિનિયરિંગ,કન્સ્ટ્રક્શન,ઇન્ફ્રાસ્ટ્રક્ચર,રિયલ એસ્ટેટ,વોટર એનર્જી અને ફાઇનાન્સિયલ સર્વિસમાં ફેલાયેલું છે.જે ગ્રુપ 18 મોટી કંપનીઓનું સંચાલન કરે છે.શાપૂરજી પાલોનજી ગ્રૂપનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને અંદાજે 50,000થી વધુ કર્મચારીઓનું સંખ્યાબળ ધરાવે છે.

શાપૂરજી પાલોનજી ગ્રુપ ટાટા સન્સમાં સૌથી મોટો વ્યક્તિગત હિસ્સો ધરાવે છે.પાલોનજી સમૂહ પાસે ટાટા સન્સમાં 18.4% હિસ્સો છે.પાલોનજી મિસ્ત્રીના પુત્ર સાયરસ મિસ્ત્રીને 2012માં ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.સાયરસ મિસ્ત્રી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યા હતા.શાપૂરજી પાલોનજી ગ્રુપની સ્થાપના ઇસ.1865માં થઈ હતી. એન્જિનિયરિંગ સેક્ટરમાં માંધાતા ગણાતા આ સમૂહે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,ધ તાજમહેલ પેલેસ હોટેલ સામેલ છે.આ સિવાય ગેટ વે ઓફ ઈન્ડિયા,મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાનું બાંધકામ પણ એસ.પી ગ્રુપે કર્યું છે.