લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારતના ફાસ્ટબોલર જસપ્રિત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં આરામ મળી શકે

ભારતીય ટીમના અનુભવી અને ફાસ્ટબોલર એવા જસપ્રિત બુમરાહને વર્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં આરામ આપી શકે છે.આમ આ મેચ આગામી 12 માર્ચથી શરૂ થશે.આમ બુમરાહને અગાઉ ચેપોક ખાતેની બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતની 317 રનથી જીતી થઈ હતી.આમ તે આગામી બન્ને ટેસ્ટ મેચ રમશે જેમાં જીતીને ભારત પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે.

આમ બુમરાહે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતથી લઈને અત્યારસુધીની મેચોમાં 180 ઓવર ફેંકી છે અને ચાર ટેસ્ટમાં લગભગ 150 ઓવર ફેંકી દીધી છે.તેથી તેને આગામી શ્રેણીમાં આરામ આપવામાં આવશે.