લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતમાં બનનારી નવી કારોમાં એરબેગ ફરજિયાત કરાઇ

ભારતમાં માર્ગ અકસ્માતોમાં મોતને ભેટનારા લોકોનુ પ્રમાણ ઘણુ વધારે છે.ત્યારે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે આગામી 1 એપ્રિલ 2021 બાદ બનનારી તમામ નવી કારોમાં એરબેગ ફરજિયાત કરી દીધી છે.જેમાં એક એપ્રિલ બાદ જે પણ નવી કારો બનશે તેમાં ડ્રાઈવર તથા તેની બાજુની બેઠક માટે એરબેગ લગાવવાનુ કાર કંપનીઓ માટે ફરજિયાત હશે.આમ સરકારે પહેલેથી બની ચુકેલી તેમજ હજુ વેચાઈ ન હોય તેવી નવી કારો માટે આ નિયમ લાગુ નથી કર્યો.જોકે આવી કારોમાં કંપનીઓએ આગળની બંને બેઠકો માટે આગામી 31 ઓગસ્ટ સુધીમાં એરબેગ લગાવવાનો આદેશ આપ્યો છે.આમ એક્સિડન્ટ થાય ત્યારે કારની સ્પીડના આધાર પર એરબેગ ખુલી જતી હોય છે.જેમાં કોઈપણ વસ્તુ સાથે કાર ટકરાયા બાદ કારનુ એક્સિલેરોમીટર સર્કિટ સક્રિય થાય છે અને તે સેન્સરને એ કરંટ મોકલે છે.આ સેન્સર એરબેગને સંકેત આપે છે અને એક સેકન્ડથી પણ ઓછા સમયમાં એરબેગ ફુલીને બહાર આવે છે.