લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આઇપીએલ 2021ની હરાજીમાં 292 ખેલાડીઓ ઉતરશે,કરોડોની બોલી લાગશે

ભારતના સિનિયર સ્પિનર ​​હરભજનસિંહ અને બેટ્સમેન કેદાર જાધવ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલને ચેન્નઈમાં ફેબ્રુઆરીમાં યોજાનારી આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ હરાજી માટે બે કરોડ રૂપિયાનીના બેઝ પ્રાઈસ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.આમ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.ત્યારબાદ 292 ખેલાડીઓ હરાજીમાં સામેલ થશે.જેમાં આઠ ફ્રેન્ચાઇઝી 61 જગ્યાઓ ભરવા માટે બોલી લગાવે છે. આમ આ હરાજીની યાદીમાં 164 ભારતીય,125 વિદેશી,એસોસિયેટ દેશોના 3 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સૌથી વધુ 13 સ્થાન ઉપલબ્ધ છે,જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત 3 ખેલાડીઓ ખરીદી શકે છે.કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ હરાજીમાં સૌથી વધુ 53 કરોડ 10 લાખ રૂપિયાની રકમ સાથે હરાજીમાં ભાગ લેશે,જ્યારે હૈદરાબાદ પાસે 10 કરોડ 75 લાખ રૂપિયાની રાશી છે.ચેન્નાઈ સુપર કિંગ્સની પાસે 22 કરોડ 70 લાખ રૂપિયા છે અને તેની 7 જગ્યાઓ ખાલી છે.જ્યારે સુપર કિંગ્સે આ વર્ષે હરભજન અને જાધવને રિલીઝ કર્યા છે.

આમ આ સિવાય સચિન તેંડુલકરનો પુત્ર અને ડાબોડી ફાસ્ટ બોલર અર્જુનને સુધારેલી યાદીમાં 20 લાખ રૂપિયાના સૌથી નાની બેઝ પ્રાઇસ કેટેગરીમાં સ્થાન મળ્યું છે.આમ મેક્સવેલ અને સ્મિથ સિવાય વિદેશી ખેલાડીઓમાં શાકિબ અલ હસન,મોઇન અલી,સેમ બિલિંગ્સ,લિયમ પ્લંકેટ,જેસન રોય,માર્ક વુડને સૌથી વધુ બેઝ પ્રાઈસ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.આમ 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં 12 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.જ્યારે ભારતીય બેટ્સમેન હનુમા વિહારી અને ઉમેશ યાદવને 1 કરોડ રૂપિયાની પ્રાઈઝ સાથે ત્રીજી કેટેગરીમાં રાખવામા આવ્યા છે.આમ આ હરાજી ચેન્નાઇમાં ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે શરૂ થશે.