લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરતમા દાંડીયાત્રામાં જોડાશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત થઈ હતી.ત્યારે આ આઝાદીનાં અમૃત મહોત્સવમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જોડાશે અને તેઓ આગામી 1લી એપ્રિલથી છાપરાભાઠા ખાતે દાંડી પદયાત્રાની મુલાકાત લેશે અને તેમની સાથે યાત્રામાં જોડાશે.જેમાં તેઓ 3-55 વાગ્યા છાપરાભાઠા ખાતે પહોંચશે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ તેઓ 6-00 વાગ્યે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે.આમ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો આરંભ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતેથી કરાવ્યો હતો.