લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કોંગ્રેસનાં ગુલામ નબી આઝાદ બાદ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા બનશે

રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પુરો થયો છે.ત્યારબાદ કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતા અને લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રહી ચુકેલા મલ્લિકાર્જુન ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે.આમ સંગઠન મહાસચિવ વેણુગોપાલે આ વાતની જાણકારી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસે રાજ્યસભાના સભાપતિ વૈંકયા નાયડૂને આ વિશેની જાણકારી આપી છે કે ગુલામ નબી આઝાદના નિવૃત થયા બાદ હવે મલ્લિકાર્જુન ખડગે પાર્ટી તરફથી વિપક્ષના નેતા હશે.

આમ રાજયસભામાં વિપક્ષના ઉપનેતા તરીકે આનંદ શર્મા પણ એવું ઇચ્છતા હતા કે તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે.પરંતુ વર્તમાનમાં સંગઠનને લઇને અનેક સવાલો ઉઠતાં સોનિયા ગાંધીની ચિઠ્ઠી બાદ પાર્ટીનું નેતૃત્વ તેમને આવી જવાબદારી આપવા બદલ ઉત્સાહિત નથી.ત્યારે મલ્લિકાર્જુન ખડગેને સોનિયા ગાંધીના નજીકના ગણવામાં આવે છે.આમ વર્ષ 2019ની લોકસભા ચૂંટણમાં હાર છતા પાર્ટીએ તેમને રાજ્યસભામાં તક આપી છે.

આમ રાજ્યસભામાં 15 ફેબ્રુઆરી બાદ જમ્મુ કાશ્મીરના કોઇપણ પ્રતિનિધિ નહી હોય વર્તમાન સમયે જમ્મુ કાશ્મીરની રાજ્યસભામાં ચાર સીટો હતી.પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદથી ત્યાં ચૂંટણી થઇ નથી. જેથી ત્યાંથી કોઇ નવા સભ્ય નથી આવ્યા.ત્યારે ગુલામ નબી આઝાદને ફરીથી વિપક્ષના નેતા બનવાની તક મળી શકે છે.પરંતુ તેના માટે તેમને મહિના બાદ ફરી વખત કેરળની રાજ્યસભા સીટ પર જીતીને આવવું પડશે.