લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગુજરાતમાં 1 માર્ચે રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજવામાં આવશે.

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે.જેના ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.આમ પહેલી માર્ચે સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં બંને બેઠકોનું મતદાન અલગ-અલગ થશે.આમ રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.આમ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે અને 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે.આમ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે.આમ ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે. ​​​​​

આમ રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે.જે પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટી પાસે છે,જ્યારે બાકીની બેઠકો કૉંગ્રેસ પાસે છે.આમ ભાજપમાંથી પરસોતમ રૂપાલા,મનસુખ માંડવિયા, નરહરિ અમીન,અભય ભારદ્વાજ,રમીલા બારા,ડૉ.એસ.જયશંકર,જુગલજી ઠાકોર સાંસદ છે.જ્યારે કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ,અમીબેન યાજ્ઞિક,નારણસિંહ રાઠવા સાંસદ છે જ્યારે અહેમદ પટેલ સાંસદ હતા.જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ આ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

આમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાનથી પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે.અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા.આમ ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી.કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું અવસાન 25 નવેમ્બરે થયું હતું.ત્યારે તેમની ટર્મ 18 ઓગસ્ટ 2023માં પુરી થતી હતી.જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પુરી થવાની હતી.