લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાશે,રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી ઉપસ્થિત રહે તેવી શક્યતા

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 24મી ફેબ્રુઆરીથી પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવવા જઈ રહી ત્યારે આ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનો ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.આમ આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે એવી પૂરી શક્યતાઓ છે.આ ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આમ મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ લોકોના બેસવાની કેપેસિટી છે,પરંતુ કોરોનાને કારણે 50 ટકા એટલે કે 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે.આમ મોટેરા સ્ટેડિયમમાં થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે.જેમાં ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવશે.આ સિવાય સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે તેમજ મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.આમ સ્ટેડિયમમાં લોકોને સાબરમતી તરફના ગેટથી પ્રવેશ આપવામાં આવશે.

આમ 23મીએ ઉદઘાટન અને 24મી ફેબ્રુઆરીએ મેચ શરૂ થાય એ પહેલાં સમગ્ર સ્ટેડિયમમાં ડોગ અને બોમ્બ-સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે.સ્ટેડિયમમાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખી ત્યાં વાહનપાર્કિગ નહિ કરવા દેવામાં આવે.જ્યારે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ વખતે સ્ટેડિયમની આસપાસના સરકારી પ્લોટમાં પાર્કિગ કરવાની વ્યવસ્થા હતી એ જ પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકોએ અડધાથી એક કિલોમીટર ચાલીને આવવાનું રહેશે.

બીસીસીઆઈએ કોરોના મહામારીને ધ્યાને રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ત્રણ સ્થળ જ રાખ્યાં છે.જેમાં ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 મેચ માટે અમદાવાદ આવશે.જેમાં T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

આમ મોટેરા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી મોટું સ્ટેડિયમ બન્યું છે.જ્યારે મેલબર્ન સ્ટેડિયમની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાની બેઠક ક્ષમતા 18 હજારથી વધારે છે.24 ફેબ્રુઆરીથી રમાનારી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે.જેના માટે ભારતીય ટીમ આગામી 18 ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે.જે ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.