લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરાયો

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.ત્યારે શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી આજથી આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.જેમાં કલેક્ટરના નિર્દેશ બાદ જનસેવા તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈ શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.આમ રેશનકાર્ડની વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ ધારકો કોરોનાના નિયમોના પાલન સાથે મળવાપાત્ર રેશનજથ્થો મેળવવાને પાત્ર રહેશે.તે ઉપરાંત રેશન દુકાનો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રેશનકાર્ડ હોલ્ડરોને આવશ્યક ચીજવસ્તુઓનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ ચાલુ રાખી શકશે.અમદાવાદ શહેર તથા જિલ્લામાં સંક્રમણ વધતા અમદાવાદ જિલ્લા કલેકટરે પરિપત્ર બહાર પાડી કલેકટર કચેરી હેઠળના દસક્રોઈ,ધોળકા, ધંધુકા,સાણંદ,વિરમગામના જનસેવા કેન્દ્રો,પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ 23 એપ્રિલ સુધી નાગરિકો અરજદારોની સેવા માટે બંધ કરવા આદેશ આપ્યો છે.

બીજીતરફ કોરોનાના વધતા કેસમાં ગુજરાત યુનિવર્સિટી પણ સપડાઈ છે.જેમાં યુનિવર્સિટીના સ્ટાફના સભ્યો પણ સંક્રમિત થયા છે.ત્યારે આવતીકાલથી યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે.જેમને આગામી 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તે બાદ કેસ વધશે તો ફરીથી નિર્ણય લેવામાં આવશે.