લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં દાંડીયાત્રામાં ભાગ લેનાર પદયાત્રીઓ,પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાશે

અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે શુક્રવારે દાંડીકૂચ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમની મુલાકાતે આવવાના છે.ત્યારે ગાંધીઆશ્રમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં આવશે તે પહેલાં ડોમમાં હાજર રહેનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ આશ્રમની કેટલીક મહિલાઓ જે સમયે હાજર રહેવાની હોવાથી તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ માટેના ડોમ ઉભા કરવામાં આવશે.જેમાં જે લોકો પોઝિટિવ આવશે તેઓ દાંડીયાત્રામાં ભાગ નહીં લઈ શકે.આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે તેમજ અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિ ‘અક્ષર ઘાટ’ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.અમદાવાદના સાબરમતી આશ્રમમાં 12મી માર્ચે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે.તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે.