Error: Server configuration issue
અમદાવાદ શહેરમાં મ્યુનિ.સંચાલિત તમામ બગીચાને લોકડાઉન દરમ્યાન બંધ રાખ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સવાર-સાંજ એમ બે-બે કલાક માટે ખુલ્લા રાખવામાં આવતા હતા.આમ આ સમયમર્યાદામાં પણ બીજા બે કલાકનો ઉમેરો કરવામાં આવ્યો છે.ત્યારે કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ.કમિશનરે સવારે 6.30 થી 9.30 વાગ્યા સુધી અને સાંજે 6 થી 9 વાગ્યા સુધી બગીચા ખુલ્લા રહેશે.
આમ બગીચા સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવતા હતા.આમ કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર બગીચાના સમયમાં કાપ મૂકવામાં આવ્યો હતો.જોકે હવે શહેરમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ફરી સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved