લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદના કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા 25 કૂલર મૂકવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,ત્યારે માણસની સાથે પ્રાણીઓ પર પણ તેની અસર ન થાય તે જરૂરી છે.ત્યારે કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ગરમીથી બચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમજ કોરોનાથી બચવા માટે તકેદારી રાખવામાં આવી રહી છે.આમ કાંકરિયા ઝૂમાં કામ કરતા તમામ કર્મચારીઓના 2 વખત કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા છે.તેમજ ઝૂના કર્મચારીઓને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત પ્રાણીઓના કેર ટેકરને પણ સાવધાની રાખવા અલગથી સૂચનાઓ આપવામાં આવી છે.

આ સિવાય વર્તમાન સમયમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે ગરમીથી રાહત મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.25 કૂલર પાંજરા પાસે રાખવામાં આવ્યા છે.તેમજ તડકા સામે રક્ષણ મેળવવા માટે ગ્રીન નેટ રાખવામાં આવી છે.જેનાથી ગરમી કપાય છે.આમ સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.હાથી.મગર,ગેંડા જેવા પ્રાણીઓ માટે પાણીના હોજ પણ ભરવામાં આવ્યા છે. પ્રાણીઓના ખોરાક પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.