લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાના સંક્રમણને લીધે અમદાવાદની હોસ્પિટલોમાં 2421 બેડ વધારવામા આવ્યા

રાજ્યમાં વધતા જતાં કોરોના સંક્રમણને પગલે હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં આવી છે.ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બેડ્સની સંખ્યા વધારવા અંગે જણાવ્યું હતું કે અમદાવાદમાં મંજૂશ્રી મિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલોમાં ફરીથી કોરોનાના દર્દીઓને દાખલ કરાશે,જ્યાં 600 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.આ સિવાય અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલમાં કોરોનાના 500 દર્દીઓની ક્ષમતા વધારી 1000 પથારી કરવાનો નિર્ણય લેવાયો છે,ત્યારે વર્તમાન સમયમાં એસ.વી.પી હોસ્પિટલમાં અન્ય દર્દીઓ દાખલ છે એમને તબક્કાવાર રજા આપી 1000 પથારીમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવશે.આ સિવાય એસ.એમ.શાહ હોસ્પિટલ,જી.સી.એસ હોસ્પિટલ,યુ.એન મહેતા હોસ્પિટલના નવા કેમ્પસમાં,કેન્સર હોસ્પિટલના નવા કેમ્પસમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે.

આમ રાજ્યમાં કોરોનાની વેક્સીન માટે પંદર લાખ ડોઝનો જથ્થો મળી ગયો છે.જે આગામી ચાર દિવસ સુધી ચાલશે.ત્યારે વધુ જથ્થો મેળવવા કેન્દ્ર સરકાર પાસે પરામર્શ ચાલી રહ્યો છે.રાજ્યની એસ.વી.પી હોસ્પિટલમાં 1000 બેડ,મંજુશ્રી હોસ્પિટલમાં 208,કિડની હોસ્પિટલમાં 400, કેન્સર હોસ્પિટલમાં 175,સિવિલ નવી કેન્સર હોસ્પિટલમાં 108,યુ.એન મહેતા હોસ્પિટલમાં 130,એસ.એમ.એસ હોસ્પિટલમાં 240,જી.સી.એસ હોસ્પિટલમાં 160 પથારી વધારવામાં આવી છે.આમ આ હોસ્પિટલોમાં નવા કોરોના દર્દીઓને પાંચ દિવસમાં દાખલ કરી શકાશે.