લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બજેટ- સરકાર વર્ષ 2022 સુધીમાં 55000 ઘર બનાવશે,આવાસ નિર્માણ માટે રૂ.900 કરોડની ફાળવણી કરાઇ

ગુજરાત રાજ્યના 77માં બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં વર્ષ 2022 સુધીમાં 55,000 ઘર બનાવવાની જાહેરાત કરી હતી.જે પ્રોજેક્ટ માટે સરકારે રૂ.900 કરોડની ફાળવણી કરી છે.આ ઉપરાંત બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ.13,493 કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ વિભાગ અંતર્ગત સરકારનું ધ્યેય શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવાનું છે.બજેટમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે રૂ.4563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તેમજ અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા,23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા,ગટર અને વરસાદી પાણીના નિકાલ અને પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.650 કરોડ ફાળવવામાં આવ્યા છે.ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં આર્થિક પ્રવૃત્તિઓ વધી છે ત્યારે દેશ-વિદેશથી રોકાણ આવી રહ્યું છે. નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની સંપૂર્ણ માલિકીના ગિફ્ટ સિટીમાં આગામી દિવસોમાં રૂ.100 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે.આમ વર્તમાન સમયમાં ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્સ્યોરન્સ,ફાઇનાન્સ સહિતના સેક્ટર્સની 200થી વધુ કંપનીઓ કાર્યરત છે.

આમ રાજ્ય સરકારે અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા,ગાંધીનગર સહિતની મહાનગરપાલિકા તેમજ દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૂ.700 કરોડની ફાળવણી કરવામાં આવી છે.તેમજ અમદાવાદ,સુરત,ગાંધીનગરને મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ હેઠળ રૂ.568 કરોડ આપવામાં આવ્યા છે.

આમ આ સિવાય સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને નિર્મળ ગુજરાત હેઠળ રૂ.200 કરોડ,દીનદયાળ અંત્યોદય યોજના,નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન હેઠળ રૂ.150 કરોડ જ્યારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના માટે રૂ.80 કરોડ,નગરપાલિકાઓમાં ભૂગર્ભગટર યોજના માટે રૂ.50 કરોડ,વડોદરા,રાજકોટ,ભાવનગર,જામનગરમાં મેટ્રો લાઇટ-મેટ્રો નીઓ માટે રૂ.50 કરોડ,નવા ફાયર સેફટી સાધનો ખરીદવા રૂ.39 કરોડ,ફાયર સેફટી કોપ પોર્ટલ માટે રૂ.20 કરોડ અને શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રૂ.5 કરોડ સહિતની જોગવાઇઓ કરવામાં આવી છે