લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતનાં ચોટીલામા રોપ-વે બનશે,મુખ્યમંત્રી રૂપાણીએ ગૃહમાં જાહેરાત કરી

ગુજરાતના ચોટીલામા રોપ-વે બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે.ત્યારે શ્રી ચામુંડામાતાના દર્શન માટે ટુંક સમયમાં વૃધ્ધો અને શારીરિક અશક્ત માઈભક્તોને ગઢ ચોટીલા ચઢવુ સરળ બનશે.આમ ચોટીલાના ડુંગર ઉપર પહોંચવા તળેટીથી 85 મીટરની ઉંચાઈએ 400 મીટર લાંબા એરિયલ નેટવર્ક તૈયાર કરાશે.તેમજ અત્યારે ચોટીલાનો ડુંગર ચઢવા માટે 1000 જેટલાં પગથિયા છે.આ અગાઉ ગિરનાર રોપ વેથી સ્થાનિક પ્રવાસનને વેગ મળ્યો હતો.ત્યારે આ સિવાય અંબાજી સુધી જવા માટે પહેલા ચાર થી પાંચ કલાક થતા હતા ત્યારે હવે લોકો રોપ-વે દ્વારા 7 થી 8 મિનિટમાં પહોંચી જાય છે.