લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેમાં ગઈકાલે વડોદરાની સભામાં તેમની તબિયત લથડી હતી.ત્યારબાદ તેમને સારવારઅર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા તે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે.આમ તેમની સાથે-સાથે ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે.

આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેઓ છેલ્લા ઘણાં દિવસોથી પ્રચારમાં જોડાયા હતા અને આ દરમિયાન તેઓ ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હતા.ત્યારે વડોદરામાં ચૂંટણી સભા દરમિયાન તેઓ મંચ પર જ ઢળી પડ્યા હતા.જે બાદ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરોની સલાહ પ્રમાણે 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા છે અને તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે.

આમ શનિવાર રાત્રે વડોદરા જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીનું બ્લડપ્રેશર લો થઈ જતા તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા.જે બાદ તેમને મોડીરાત્રે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.પરંતુ આજે સવારે આવેલો કોરોના RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે તેઓ ટૂંકસમયમાં સ્વસ્થ થઇ આપણી વચ્ચે આવે અને પુન:જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.