લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એક વર્ષ માટે JEE મુખ્ય પરીક્ષાના આધાર પર NIT,IIITમાં પ્રવેશ માટે ધો.12ના પાસિંગ માર્કસ ધ્યાન પર લેવાશે

કોરોનાને કારણે સ્કૂલો-કોચિંગ ઈન્સ્ટિટયુટો બંધ રહેતા વિદ્યાર્થીઓને જેઈઈ મેઈન પરીક્ષાનું પુરતુ કોચિંગ તથા અભ્યાસ મળી ન શક્યો હોવાથી કેન્દ્ર સરકારની સૂચનાથી JEE મેઈન પરીક્ષાના આધારે થતા NIT અને IIIT સહિતના પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાતમાં રાહત આપવામા આવી છે.જેમાં વર્ષ 2021-22ના વર્ષમાં પ્રવેશ માટે ધો.12ના પાસિંગ માર્કસ જ ધ્યાને લેવાશે.

આમ દેશભરમાં આવેલી વિવિધ NIT,IIIT સેન્ટ્રલ ફંડેડ ટેકનોલોજી ઈન્સ્ટિટયુટોમાં પ્રવેશ માટે JEE મેઈનના સ્કોર ધ્યાને લેવાય છે.ત્યારે JEE મેઈનના આધારે આ સંસ્થાઓમાં પ્રવેશ થાય છે તેવામાં કેન્દ્ર સરકારના નિયમ મુજબ ધો.12માં મિનિમમ ટકાવારી હોય તો જ JEE મેઈનનો સ્કોર લાગુ પડે છે.આમ ધો.12ની ટકાવારીના જુદા-જુદા સ્લેબ નક્કી કરવામા આવ્યા છે.પરંતુ કેન્દ્ર સરકારે કોરોનાને લઈને આપેલી ખાસ રાહત મુજબ એક વર્ષ માટે હવે ધો.12ના પાસિંગ માર્કસ જ ધ્યાને લેવાશે.આમ કેન્દ્ર સરકારની સૂચનાથી JEE મેઈન પરીક્ષા લેતી નેશનલ એજન્સી દ્વારા જાહેર કરાયેલી પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ 2021-22ના NIT-IIIT પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓ JEE મેઈન પરીક્ષા આપશે તેઓના ધો.12ના પાસિંગ માર્કસને ધ્યાને લેવાશે.

જોકે ઈજનેરીમાં પ્રવેશ માટે AICTE દ્વારા નક્કી કરાયેલી ઓપન કેટેગરીમાં 50 ટકાની લઘુત્તમ લાયકાતમાં AICTE દ્વારા હજુસુધી કોઈ છુટછાટ આપવામા આવી નથી.તેવામાં કોરોનાને લીધે સ્કૂલો બંધ રહેતા અને કોચિંગ ઈન્સ્ટિટયુટો બંધ રહેતા વિદ્યાર્થીઓ ધો.12નો પુરતો અભ્યાસ કરી શક્યા નથી તેમજ JEE મેઈનની પણ તૈયારી પણ કરી શક્યા નથી.ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ માટે ખાસ રીલેક્સેશન આપવામા આવ્યુ છે.