લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઝાયડસની કોરોના માટેની દવા વિરાફિનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી

વર્તમાન સમયમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે ઝાયડસની કોરોના માટેની દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.જેમાં ડી.સી.જી.આઇએ ઝાયડસની દવા વિરાફિનના ઉપયોગને લીલીઝંડી આપી દીધી છે.આમ આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવશે.આમ હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી સાબિત થશે.ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.આમ આ સાથે દર્દીઓનું ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ છે.આમ વર્તમાન સમયમાં આ દવા ડોક્ટરોની સલાહ પ્રમાણે આપવામાં આવશે.